• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Teacher Recruitment : TAT-1-2 પાસ ઉમેેદવારોની માંગ સ્વીકારાઈ, ગુજરાત સરકાર ત્રણ માસમાં માધ્યમિક અને ઉચ્ચ.માં 7500 શિક્ષકોની કરશે ભરતી

Teacher Recruitment : TAT-1-2 પાસ ઉમેેદવારોની માંગ સ્વીકારાઈ, ગુજરાત સરકાર ત્રણ માસમાં માધ્યમિક અને ઉચ્ચ.માં 7500 શિક્ષકોની કરશે ભરતી

08:34 PM June 19, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Teacher Recruitment News : રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પહેલીવાર એક સાથે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 7500 શિક્ષકોની ભરતી કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ ભરતી આગામી ત્રણ માસની અંદર કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ટાટ પાસ ઉમેદવારોના આંદોલન બાદ સરકાર સફાળી જાગી છે અને શિક્ષકોની મોટાપાયે ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ટેટ અને ટાટને લઈ મહત્વની અને ઉમેદવારોને ઉપયાગી થાય તેવી જાહેરાત કરાઈ છે. 

► ત્રણ મહિનામાં 7,500 શિક્ષકોની કાયમી ભરતી પૂર્ણ કરાશે

કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું હતુ કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે. રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. તેમણે વધુમાં કહ્યું કે, TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

► ધોરણ 9-10માં 3500 અને ધોરણ 11-12માં 4000 શિક્ષકોની ભરતી

વધુ વિગતો આપતા મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું હતું કે, માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઇન – એડ શાળામાં 3250 એમ મળીને TAT-2 ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ. મંત્રીએ વધુમા કહ્યું કે, તાજેતરમાં 1500 જેટલા HMAT પ્રિન્સીપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.

► "પ્રાથમિક શાળાના શિક્ષકોની કાયમી ભરતીના નિયમો બનશે"

પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, પ્રાથમિક શાળાના શિક્ષકોની કાયમી ભરતીના નિયમો બની રહ્યા છે, નિયમો ફાઈનલ થયા બાદ ભરતી જાહેર કરવામાં આવશે. વધુમાં રાજકોટ દૂર્ઘટના મુદ્દે જણાવ્યું કે, એસઆઈટીનો રીપોર્ટ આવતીકાલે સરકારને મળશે ત્યારબાદ હાઈકોર્ટમાં રજૂ કરાશે. તો નીટની પરીક્ષા કેન્દ્ર સરકારની સ્વતંત્ર એજન્સી લે છે, ગેરરીતી સંદર્ભે માહિતી મળતા તપાસ કરી વિગતો અપાઈ છે. વધુમાં સિંચાઈને લઈ ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર માટે સિંચાઈની ફાળવણી અગાઉ 2100 એમસીએફટી કરતા હતા જ્યારે આ વર્ષે નર્મદા વિભાગ સાથે ચર્ચા કરી 2331 એમસીએફટી પાણી પોહોંચાડવાનો નિર્ણય કર્યો છે, જેના પગલે ઉત્તર ગુજરાતના 60 હજાર એકર જમીનને લાભ મળશે


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Teacher Recruitment News - Teacher Recruitment - TET - TAT Exam Recruitmen - શિક્ષકોની કાયમી ભરતીના સમાચાર - TAT 1-2 પાસ ઉમેેદવારોની માંગ સ્વીકારાઈ - ગુજરાત સરકાર ત્રણ માસમાં માધ્યમિક અને ઉચ્ચત્ત્તરમાં 7500 શિક્ષકોની કરશે ભરતી - 7500 teachers recruitment



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us